ભાવનગર શહેર અને ગ્રામ્યમાં આગામી તા.૧૮ થી ૨૦મી જૂન સુધી ત્રિદિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે.જેના સુચારુ આયોજન માટે કમિશનર એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
કમિશનર એન.કે.મીણાએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લા અને શહેરમાં્ તા.૧૮ થી ૨૦મી જૂન દરમિયાન ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં આંગણવાડીઓમાં બાળ વાટિકામાં, ધો.૧ અને ધો.૮માંથી્ ધો.૯માં પ્રવેશ પાત્ર તમામ વિદ્યાર્થીઓનું નામાંકન થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવો તેમજ જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓને શાળા પ્રવેશોત્સવની કિટ્સ અને રૂટની યાદી મળી રહે, તમામ અધિકારીઓને સંકલનમાં રહી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું્.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલભાઇ બડમલીયાએ યોજાનારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંગેની વિગતો આપતાં કહ્યુ કે,ભાવનગર મહાનગરપાલિકામાં અલગ અલગ ૯ રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોમાં ૧૬૦૩ કુમાર, ૧૪૫૨ ક્ધયા સહિત કુલ ૩૦૫૫ બાળકોનું નામાંકન કરવામાં આવશે.
ધો.૧માં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓમાં ૧૧૯ કુમાર, ૧૩૫ ક્ધયા સહિત કુલ ૨૫૪ અને ધો.૮ માંથી ધો.૯માં ૧૭૧૧ કુમાર, ૧૬૩૧ ક્ધયા સહિત કુલ ૩૩૪૨ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવશે.આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬૮ સરકારી પ્રાથમિક શાળા, ૩૧ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા-૫ સહિત કુલ ૧૦૪ જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે.આ ઉપરાંત ૨,૫૫૨ ભૂલકાઓ પણ આંગણવાડીમાં પ્રવેશ મેળવશે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દિવસે એક પ્રાથમિક શાળા અન બે માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી કરાવવામાં આવશે હોવાની જાણકારી આપી હતી.
મહાનગરપાલિકાના મીટીંગ હોલ્ ખાતે યોજાયેલી બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઇ મહેતા, કલ્પેશભાઇ પંડ્યા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને અમલીકરણ સમિતિની સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech