ખંભાળિયામાં ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર, અહીંની સીવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે શુક્રવારે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલી "પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના" આશીર્વાદરૂપ સિદ્ધ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 વર્ષમાં આવા કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો નોંધાયો છે. વર્ષ 2014 માં માત્ર 80 કેન્દ્રો સાથે શરૂ થયેલ આ યાત્રામાં આજે સમગ્ર દેશમાં 15,000 જેટલા અને ગુજરાતમાં 750 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે.
આ કાર્યક્રમમાં એરિયા મેનેજર મયુરભાઈ કરંગીયા, ત્યાના ફાર્માસિસ્ટ હર્ષભાઈ નકુમ તથા કવિબેન પરમાર દ્વારા લોકોને જન ઔષધી માટે જાગૃત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech