જામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન

  • May 14, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
એરપોર્ટ બે દિવસથી કાર્યરત, પરંતુ દૈનિક ફ્લાઇટનું આવાગમન બંધ: એક માત્ર ફલાઇટ કયાં કારણોસર રદ્દ કરવામાં આવી રહી છે, તે અંગે અનેક સવાલ

જામનગર-મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ બુધવારે સતત બીજા દિવસે રદ્દ કરવામાં આવી છે, આથી મુસાફરો હેરાન-પરેશાન થઇ ગયા છે, એરપોર્ટ બે દિવસથી કાર્યરત થયું છે, પરંતુ દૈનિક ફલાઇટનું આવાગમન બંધ છે, જામનગર-મુંબઇ વચ્ચે એક માત્ર ફલાઇટ ક્યાં કારણોસર રદ્દ કરવામાં આવી રહી છે, તે અંગે મુસાફરોમાં અનેક સવાલ ઉઠ્યા છે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારે યુઘ્ધવિરામ બાદ જામનગર સહિત બંધ કરાયેલા અમુક એરપોર્ટ સોમવારે પુન: શ‚ કરાયા હતાં, પરંતુ સોમવારે જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક આવાગમન કરતી ફલાઇટ આવી ન હતી, આ સ્થિતિમાં મંગળવારથી આ ફલાઇટ સંભવત: આવવાની શકયતા એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ દર્શાવી હતી. પરંતુ જામનગર અને મુંબઇ વચ્ચે દૈનિક ઉડાન ભરતી ઇન્ડીયન એરલાઇન્સની ફલાઇટ મંગળવારે પણ રદ કરવામાં આવી  હતી, જો કે એરપોર્ટ બે દિવસથી શ‚ કરી દેવાયું છે. ત્યારે બુધવારે સતત બીજા દિવસે જામનગર-મુંબઇ વચ્ચે આવાગમન કરતી ફલાઇટ રદ્દ કરવામાં આવી હોવાનું એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ જણાવ્યું છે, પરંતુ આ ફલાઇટ સતત બે દિવસથી ક્યાં કારણોસર રદ્દ કરવામાં આવી રહી છે, તે અંગે મુસાફરોમાં અનેક સવાલ ઉઠ્યા છે, જામનગર અને મુંબઇ વચ્ચે આવાગમન કરતી આ એક માત્ર ફલાઇટ છે ત્યારે આ ફલાઇટ રદ થતાં મુસાફરો તથા વેપાર-ધંધા અર્થે મુંબઇ જતાં વેપારીઓ અને ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application