જામનગર જિલ્લા અને તાલુકા કક્ષાના જાન્યુઆરી મહિનાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો નહીં યોજાય

  • January 22, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આદર્શ આચારસંહિતાના પરિણામે

જામનગર જિલ્લા અને તાલુકા કક્ષાના જાન્યુઆરી મહિનાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો નહીં યોજાય


રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. જેને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ન યોજવા બાબતે સુચના થઇ આવેલ છે. જે ધ્યાને લઇને જાન્યુઆરી-૨૦૨૫ મહિનાના જિલ્લા-તાલુકા તથા રાજય "સ્વાગત" કાર્યક્રમ યોજાશે નહી.  માટે જામનગરમાં પણ તાલુકા અને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો યોજવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એન.ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application