રાજકોટમાં વહેલી સવારથી મીઠાના જથ્થાબંધ વેપારી પર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. તેમજ જામનગર અને અમદાવાદમાં પણ મીઠાના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
100 જેટલા અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
પ્રાપ્ત વિગત મુજબ, આજે વહેલી સવારથી ગુજરાતના મોટા શહેરોમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મીઠાના વેપારી ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણીતા દેવ ગ્રૂપ ઉપર આ સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગરના મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ફેક્ટરી માળિયા ખાતે આવેલી છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.તેમની અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલ પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મોટી કરચોરી પકડાવાની શક્યતા
રાજકોટ ઉપરાંત અમદાવાદ , જામનગર અને ગાંધીધામમાં આવકવેરા વિભાગે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. મીઠાના વેપારી પર દરોડા પાડવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોટી કરચોરી પકડાવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech