બાઇકના ટાયરમાં છરીનો ઘા મારી તરુણને મારી નાખવાની ધમકી
જામનગરના પુનીતનગર વિસ્તારમાં અગાઉ મારા વિરુઘ્ધ કેમ ફરીયાદ કરી હતી એમ કહીને ઉશ્કેરાયેલા મોમાઇનગરના શખ્સે પુનીતનગરના તરુણને ઝાપટો ઝીંકી દઇ મારી નાખવાની ધમકી દીધી હતી તેમજ છરી બાઇકના ટાયરમાં મારી હતી આ મામલો પોલીસમા પહોચતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના મચ્છરનગર પાછળ પુનીતનગર શેરી નં. ૨માં રહેતા હરવિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૧૭) નામનો તરુણ ૩૧ના રોજ પોતાના ઘરની બહાર બેઠો હતો ત્યારે આરોપી ત્યાં આવીને કહેલ કે બે મહીના પહેલા તારા મિત્ર રાજવીરસિંહ જીતુભા રાઠોડને મે છરી મારી હતી અને તે વખતે તું આ રાજવીરને હોસ્પીટલ કેમ લઇ ગયો હતો, તે મારા પર કેમ ફરીયાદ કરી હતી એમ કહીને અપશબ્દો કહયા હતા ઉપરાંત ગાલ પર ચાર પાંચ ઝાપટો ઝીંકી દીધી હતી.
આરોપીએ નેફામાથી છરી કાઢી એક ઘા ફરીયાદીના મોટરસાયકલની પાછળના ટાયરમાં મારી જતા જતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી આ બનાવ અંગે હરવિજયસિંહએ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં મોમાઇનગરમાં રહેતા હરપાલસિંહ ઉર્ફે હિરેન ઝાલા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળીયામાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
June 03, 2025 01:29 PMજામનગર : જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી....
June 03, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech