‘ઇટ્રા’ દ્વારા ભારત સરકારના ૧૦૦ દિવસ ટી.બી.નાબૂદિના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આજે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ-તબિબો અને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાબૂદિ માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇટ્રાના ધન્વંતરી મંદિર ખાતેથી શપથ બાદ રેલી સી.ટી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧૧ સુધી આ કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી નાયબ નિયામક ડો. જોબન મોઢા ડિન સહિત કર્મચારીઓ તથા જામનગર સિટી ટી. બી. ઓફિસર ડો. પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી. બી.ના કર્મચારીગણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech