૧૦૦ની સંખ્યામાં વિવિધ ઝાખી: હજારોની સંખ્યામાં બારાડી, કચ્છ, રાજસ્થાન સહિત વિસ્તારોમાંથી ચારણો જોડાયા
ચારણોના ઇષ્ટ દેવી આઇશ્રી સોનલ માની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ચારણ કુલગુરુ ભાગવતાચાર્ય શાસ્ત્રી કશ્યપ જોશીની આગેવાનીમાં સમસ્ત ચારણ સમાજ દ્વારા વિવિધ ઝાખીયો સાથે હજારો ચારણોની સંખ્યામાં દ્વારકાધીશનેધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું આ તકે માતાજીઓ અને સંતોની ઉપસ્થિતિ રહ્યા હતા.
માંડવી તાલુકાના ભાગવતાચાર્ય કશ્યપ જોશી આશીર્વાદથી સોનલ જન્મ શતાબ્દી વર્ષ મહોત્સવ અંતર્ગત ચતુર્થ અને અંતિમ સોપાન એટલે મોક્ષદાનીની દ્વારકા ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા વિશાળ જનમેદની શોભાયાત્રા સાથે ભવ્યાતિ ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦ની સંખ્યામાં વિવિધ ઝાંખીઓ સાથે વાજતે ગાજતે દ્વારકાધીશને ધ્વજાઆરોહણ કરવામા આવ્યું હતું.
આ તકે હજારોની સંખ્યામાં બારાડી, કચ્છ, રાજસ્થાન સહિત વિસ્તારોમાંથી ચારણો જોડાયા હતા આ ઐતિહાસિક તકે ૨૦ હજારોથી વધુની સંખ્યામાં ચારણો એકઠા થયા હતા અને સોનલ સોનલ ના નાદ સાથે કૃષ્ણમય બન્યા હતા રાત્રે વિશાળ સંખ્યાની ઉપસ્થિતિમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી તથા કિર્તીદાન ગઢવી સહિતના નામી કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો.
***
૧૦૦ની સંખ્યામાં વિવિધ ઝાંખી રજૂ કરવામાં આવી
મુન્દ્રાથી ૧૦૦ શણગારેલી ગાડીથી પ્રસ્થાન થનારી શોભાયાત્રામાં ૧૦૦ ગુલાબી રૂમાલ સાથે ચારણી પહેરવેશ ધારણ કરી ગોવાળીયા રાસ,, ૧૦૦ ચારણ ક્ધયા હાથમાં શસ્ત્રો સાથે માતાજી સ્વરૂપ, ૧૦૦ ભૂદેવો દેવતાના ગણવેશમાં, ૧૦૦ યજમાન એકજ પરિવેશમાં, ૧૦૦ કચ્છી ઢોલી, ૧૦૦ કળશધારી માતાઓ, ૧૦૦ શ્રીયત્ર પ્રતિષ્ઠા પૂજન સહિતની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
***
ચાર સંકલ્પ કાર્યક્રમ પૂર્ણ થયા
સોનલ માતાજીના શતાબ્દી વર્ષમાં શાસ્ત્રી કશ્યપ જોશી દ્વારા કરવામાં આવેલ દ્વારકામાં મોક્ષદાની, તે પહેલાં યોજાયેલા હરિદ્વારમાં ભાગવત સપ્તાહ, રામેશ્વર મહારુદ્ર યજ્ઞ, જગન્નાથ ઓરિસ્સામાં વિષ્ણુયાગમાં યજ્ઞ સાથે ચતુર્થ સંકલ્પ કાર્યક્રમ પૂર્ણ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech