દ્વારકાધીશ મંદિરે આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વોટર કૂલરનું અનુદાન
યાત્રાધામ દ્વારકા ખાતે દરરોજ હજારોથી લઈને લાખો સુધીના શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે. ભક્તિ સાથે આવતા ભાવિકોને આરામદાયક અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ સાથે તા. 8 જૂન, 2025ના રોજ દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આરએસપીએલ ધડી ડીટર્જન્ટના સીએસઆર અંતર્ગત ચાલતા આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા દ્વારકાધીશ મંદિરે ખાતે વોટર કૂલરનું અનુદાન આપવામાં આવ્યું હતું.
ઉનાળાની તીવ્ર ગરમી અને સમગ્ર વર્ષભરના પ્રવાસીઓ માટે ઉપયોગી થનાર આ વોટર કૂલર સુવિધાનું ઉદ્ઘાટન દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્નાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારીઓ, સ્થાનિક તેમજ મંદિર પ્રશાસનના અધિકારીઓ હાજર રહ્યા હતા, અને ઘડી ડીટર્જન્ટની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application