સલાયામાં શનિવારે બાળકો માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન

  • May 29, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જાણીતા ડો. રોહન પારવાણી સેવા આપશે

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે શનિવાર તારીખ 31 ના રોજ બાળકોના હાથ-પગની તકલીફ માટે વિના મૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સલાયામાં હુશેની ચોક ખાતે આવેલા મદ્રેસામાં રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ પેડિયાટ્રિક ઓર્થોપેડિક કેમ્પમાં રાજકોટના જાણીતા શૈશવ હોસ્પિટલ વાળા પેડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડો. રોહન પારવાણી દ્વારા બાળકોમાં હાથ પગની જન્મજાત ખોડખાંપણ, ફ્રેક્ચર કે રસી પછી રહી જતી ખોડખાંપણ, મગજના લકવાના કારણે ચાલવામાં તકલીફ વિગેરે દર્દોની સારવાર કરવામાં આવશે.

આ કેમ્પનો લાભ લેવા તેમજ નામ નોંધાવવા માટે 94094 32094 પર સંપર્ક સાધવા આયોજકો દ્વારા સલાયા પંથકની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application