ભારતમાં વેચાતો દરેક પાંચમો મોબાઈલ ફોન જૂનો હોય છે, નવા પાર્ટસ નાખી ફરીથી નવો બનાવાય છે

  • April 22, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ડેટા અનુસાર, ભારતમાં વેચાતો દર પાંચમો ફોન રિફર્બિશ્ડ અર્થાત જુનો હોય છે, જેને નવા પાર્ટ્સ નાખીને ફરીથી નવા જેવો બનાવી દેવામાં આવ્યો હોય છે. ભારતમાં સેકન્ડરી સ્માર્ટફોન માર્કેટે- 2024 માં દેશના કુલ સ્માર્ટફોન વેચાણનો પાંચમો ભાગ કબજે કરી લીધો છે, જેમાં રિફર્બિશ્ડ અને યુઝ્ડ ફોનનું વર્ચસ્વ વધ્યું છે. કોવિડ પછી ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર સ્પષ્ટ થયો છે, સેકન્ડરી ફોન (રિફર્બિશ્ડ અને નવા સંયુક્ત) નો હિસ્સો 2021 માં 12 ટકાથી વધીને 2022 માં 14 ટકા થયો હતો, 2023 માં 17-18 ટકાને સ્પર્શ્યો, અને 2024 માં 19 ટકાથી વધુ થઈ ગયો છે.


કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ગ્લોબલ સેકન્ડરી સ્માર્ટફોન માર્કેટ રિપોર્ટ અનુસાર, 2024 માં ભારતીય રિફર્બિશ્ડ સ્માર્ટફોન માર્કેટ નવા સ્માર્ટફોન માર્કેટ કરતા ઘણી મજબૂત વૃદ્ધિ જોઈ રહ્યું છે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સેકન્ડરી સ્માર્ટફોન બજારોમાંનું એક છે અને વધતી માંગને જોતા અસંગઠિત સેકન્ડરી સ્માર્ટફોન માર્કેટમાં રસપ્રદ વિકાસ જોઈ રહ્યું છે.


ભારતમાં કુલ રિફર્બિશ્ડ સ્માર્ટફોન બજારના વેચાણમાં અસંગઠિત સ્માર્ટફોન બજાર હવે 77% હિસ્સો ધરાવે છે. સંગ્રહ મુખ્યત્વે સંગઠિત રિટેલર્સ અને ઈકોમર્સ ખેલાડીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ વેચાણનો મોટો ભાગ દેશભરમાં વિભાજિત અસંગઠિત નાના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application