દ્વારકા-મીઠાપુર હાઇવે પાસે મૃતદેહો સાથે રંગે હાથ પકડી પાડતી ફોરેસ્ટ ટીમ: એક શખસ નાસી છૂટતા શોધખોળ
મુખ્ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક આર. સેન્થીલકુમાર તથા નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્કના રાઘીકા પરસાણા જીલ્લામાં ચાલતી વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે માર્ગદર્શન તેમજ સુચના મુજબ મદદનીશ વન સંરક્ષક એ.પી.પટેલના માર્ગદર્શન મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફીસર મરીન નેશનલ પાર્ક દ્વારકા એન.પી.બેલા દ્વારા બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી કુંજ કરકરા પક્ષીઓના શીકારના ગંભીર પ્રકારના ગુનાના સંગઠીત અપરાઘને તોડી પાડવા માટેની કામગીરીનું આયોજન હાથ ઘરવામાં આવ્યું છે ત્યારે દ્વારકાના રૂપેણબંદર પાસેથી એક શખસને સાત નંગ કુજ પક્ષીના મૃતદેહ ભરેલ કોથળા સાથે રંગેહાથ ઝડપી પાડયો હતો અને એક શખસ ફરાર નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 18 જાન્યુઆરી 2025ના રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારકા અને.પી.બેલાને ખાનગીરાહે બાતમી મળી હતી કે 2 શખસો રૂપેણબંદર દ્વારકા-મીઠાપુર હાઇવે પાસે આવેલ ફકીરાપીરની દરગાહ સામે રોડ પર આવવાના હોવાથી કુંજપક્ષીઓના મૃતદેહો સાથે રંગેહાથ પકડી લેવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી.બેલા સહિત વનવિભાગના સ્ટાફની વિવિઘ ટીમો બનાવવામાં આવી હતી. જેમાંથી એક સ્ટાફને ડમી ગ્રાહક બનાવી બાતમી મુજબના સ્થળે રાખવામાં આવ્યો હતો. ત્યારે 2 શખસો કુજ કરકરા પક્ષીઓ ભરેલ કોથળો લઇ આવતા નદિમ જીયા રાડીયા નામના શખ્સને સ્થળ પરથી કુજ કરકરા પક્ષીઓ નંગ 7 સાથે વનવિભાગની ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો અને એક શખસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
વન્ય જીવ સંરક્ષણ અધિનિયમની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ નાસી છૂટેલા શખસની શોધખોળ જુદી-જુદી દિશામાં શરૂ કરવામાં આવી છે અને પકડાયેલા શખસને તા. 19ના દ્વારકાની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલત દ્વારા આરોપીને જિલ્લા જેલમાં મોકલી આપવા હુકમ ફરમાવ્યો છે. આ બનાવના પગલે દ્વારકા પંથકમાં શિકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખસોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ સમગ્ર કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલા, સાથે સ્ટાફના એસ.જી. કણજારીયા, એન.જે. ગાગીયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech