બ્લોકને કારણે 31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

  • March 28, 2025 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝન થી પસાર થતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 31.05.2025ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રીંગસ-રેવાડી થઇને ચાલશે.

ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 20937ના ડાયવર્ઝન દરમિયાન પોરબંદરથી 31.05.2025ના રોજ ચાલવા વાળી પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ને નારનૌલ, નીમ કા થાના, માધોપુર અને રિંગસ જં. સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application