ઘરતી છે માં સમી, સૌની પાલનહાર, વિશાળ ખોળો એનો, આપે જીવન આધાર. માં પછી કોઈની ગોદમાં જો શીતળતા અને આહલાદકતાનો અનુભવ થતો હોય તો તે પ્રકૃતિની ગૌદ છે. પરંતુ આપણી બેફામ પ્રવૃતિઓ દ્વારા આપણે આપણી માંને જ હડધૂતી રહ્યા છીએ. અને આ ગુનાની સજા ગ્લોબલ વોર્મિંગ, ઋતુની અનિશ્ચિતતા, પર્યાવરણના ચક્રમાં ફેરફાર સ્વરૂપે આપણે ભોગવી જ રહ્યા છીએ. ત્યારે પ્રકૃતિના સંવર્ધન કરવું એ દરેક વ્યક્તિની ફરજ બની જાય છે. આ માટે સરકારે એક પહેલ શરૂ હતી. એક પેડ માં કે નામ. જેને એક વર્ષ પૂર્ણ થતા બહોળી સફળતા મળી છે. ત્યારે દર વર્ષે ૧.૩૦ લાખ વૃક્ષારોપણ સાથે ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સર્વોત્તમ ડેરી હરિયાળી ક્રાંતિ તરફ આગળ વધી રહી છે.
વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ અંતર્ગત "સર્વોત્તમ ડેરી" દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમસર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીની યાદીમાં જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ અભિયાન "એક વૃક્ષ એક જીવન" અંતર્ગત ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.સર્વોત્તમ ડેરી દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ તા. ૦૫-૦૬-૨૦૨૫, ગુરૂવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકે ઠાડચ ચિલિંગ સેન્ટર મુ. ઠાડય, તા. પાલીતાણા, જિ. ભાવનગર ખાતે યોજવામાં આવેલ જેમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી, નિયામક મંડળના સભ્યો, સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દુધ મંડળીના કાર્યવાહકો, જિલ્લાના પશુપાલકો તથા સર્વોત્તમ ડેરીનો સ્ટાફગણ ઉપસ્થિત રહેલ. સર્વોત્તમ ડેરી તથા સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધમંડળીઓ મારફત દર વર્ષે એક લાખ થી એક લાખ ત્રીશ હજાર જેટલા વૃક્ષારોપણ કરી હરિયાળી ક્રાંતિ કરવામાં આવે છે. ઉપસ્થિત દૂધ મંડળીના કાર્યવાહકોને સંબોધતા સર્વોત્તમ ડેરીના ડાયરેક્ટર મુળરાજભાઈ પરમારે વૃક્ષમાં વાસુદેવ વિષે સમજાવેલ. ડાયરેક્ટર માવજીભાઈ ભાલીયાએ ગ્લોબલ વોર્મિંગના યુગમાં વૃક્ષનું મહત્વ સમજાવેલ. સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા બાબતે ભાર આપેલ. આ ઉપરાંત વસ્તુઓનો પુન: વપરાશ કરી શકાય એવી આદતો કેળવીએ જેમકે પુન: વપરાશ કરી શકાય એવી કાપડની થેલી, પેપર બેગ, પાણી માટે સ્ટીલની બોટલનો ઉપયોગ વધારીએ. હરિયાળી ક્રાંતિનું વિશેષ મહત્વ સમજાવેલ આ ઉપરાંત સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનૌતે વૃક્ષનું ધાર્મિક મહત્વ, યજ્ઞમાં વપરાતા વૃક્ષોની માહિતી, વૃક્ષોનું આપણા જીવનમાં મહત્વ, સર્વોત્તમ ડેરીએ કરેલ કામગીરી તેમજ દૂધ મંડળી ઉપર વૃક્ષ રોપવાથી માંડીને તેની જાળવણી સુધીની પ્રતિજ્ઞા લેવરાવેલ તેમજ વૃક્ષોથી થતા ફાયદા બાબતનું માર્ગદર્શન આપેલ. આમ સર્વોત્તમ ડેરી યોતક્રાંતિની સાથે સાથે હરિયાળી ક્રાંતિમાં વિશેષ યોગદાન આપી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech