મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે IPLની 18મી સીઝનમાંથી બહાર થઈ ગયા છે. ટીમ કોચ સ્ટીફન ફ્લેમિંગે આ માહિતી આપી હતી.
ગાયકવાડની કેપ્ટનશીપમાં CSKનો દેખાવ આ સિઝનમાં સારો રહ્યો નથી. ટીમે શરૂઆતની 5 મેચોમાંથી 4 મેચ હારી છે અને ટીમ હાલમાં 10 ટીમોમાં 9મા નંબરે છે.
ફ્લેમિંગે કહ્યું, ધોની કમાન સંભાળવા માટે તૈયાર
કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું, "અમારી પાસે ટીમમાં રિપ્લેસમેન્ટ માટે થોડા જ વિકલ્પો છે. અમે હજી સુધી કોઈના પર નિર્ણય લીધો નથી. ધોની કમાન સંભાળવા માટે તૈયાર હતા. તેથી તેમનું નામ ફાઈનલ કરવામાં આવ્યું."
ગાયકવાડને રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેનો બોલ કોણી પર વાગ્યો હતો. તેણે મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ ચેન્નાઈ મેચ હારી ગયું હતું. ગાયકવાડે મેચ બાદ થોડા દિવસ પ્રેક્ટિસ કરી નહોતી અને હવે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબોગસ એનઓસી બનાવી લોનવાળી કાર બારોબાર વેચી નાખતા ફરિયાદ
April 18, 2025 02:35 PMજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech