ગંદકી અટકાવવા નદીની બન્ને તરફના દબાણો દૂર કરાયા
ખંભાળીયામાં નગરપાલિકા દ્વારા ઘી તથા તેલી નદીમાં ગંદકી અટકાવવાના કરોડો પિયાના પ્રોજેકટનો અમલ કરવા માટે નદીની બન્ને તરફ દબાણો પર ડીમોલેશનની કામગીરી શ કરી છે. જેમાં તેલી નદીના કાંઠા પર રેલ્વે સ્ટેશન જતા રસ્તા પર છ જેટલી દુકાનોનું પણ ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
ખંભાળીયામાં પાલિકા દ્વારા ઘી તથા તેલી નદીની આજુબાજુ થયેલા દબાણો દૂર કરવા માટે અગાઉ પણ ૯૦ જેટલા દબાણકર્તાઓને નોટીસો પાઠવવામાં આવી હતી, ત્યારબાદ થોડા દિવસોમાં પ૦ જેટલી મિલ્કતો ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું. ઘી અને તેલી નદીની આજુબાજુ કરોડો પિયાના પ્રોજેકટ અમલમાં આવે છે તે કામગીરી અંગે થયેલા દબાણો પર તંત્ર દ્વારા સતત પાંચ દિવસ સુધી ડીમોલેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ ગઇકાલે પણ છ જેટલી દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
સ્ટેશન રોડ પર અડીને મોકાની જગ્યા કે જ્યાં નાની દુકાનો પણ ૪૦/૫૦ લાખમાં વેચાય છે તેવી ક્રીમ ગણાતી જગ્યા પર વર્ષોથી દબાણ કર્તાઓ દુકાનો બનાવી બેઠા હતા તો એક જગ્યાએ તો બીજો માળ પણ ચણી લીધો હતો. રેલ્વે સ્ટેશન રોડ પર તેલી નદીના પુલ પાસે હાલ જે દુકાનોના દબાણો હટાવાયા તેની પાછળના ભાગમાં પણ મકાનો બની ગયા હોય તેને પણ હટાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તો મિડલ સ્કૂલની પાછળ, જી.વી.જે.હાઇસ્કુલની પાછળ, નાયરા પંપની પાછળનો ભાગ કે જ્યાં નદીનું વહેણ નીકળે છે તેના કાંઠા પર પણ મકાનો દબાણો વંડા થઈ ગયા હોય તેને પણ તોડી પાડવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. ખાલી ઘી તેલી નદીના કાંઠા ચોખ્ખા કરવામાં લગભગ ૮૦થી ૧૦૦ દબાણો દૂર થઈ જશે તે પછી નદીના કાંઠા પર નિયમ મુજબ ૩૦ મીટર જગ્યા છોડ્યા વગર બાંધકામો થયા હશે તેનો વારો આવશે.