મીઠાપુરના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા અને છેલ્લા ઘણા સમયથી રખડતું ભટકતું જીવન જીવતા આશરે 60 થી 70 વર્ષના એક અજાણ્યા વૃદ્ધા બીમાર પડતા તેમને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સિક્યુરિટી કર્મચારી તરીકે કામ કરતા બચુભાઈ માણેકએ મીઠાપુર પોલીસને કરી છે.
જુવાનપુર ગામે મોરમ કાઢવાની ના કહેતા વૃદ્ધ પર હુમલો
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા અશોક નાનજીભાઈ નામના યુવાન જે.સી.બી. તથા ટ્રેક્ટર લઈને ગામના તળાવની ધાર પાસેથી ધૂળ (મોરમ) કાઢી રહ્યા હતા જેથી આ જ વિસ્તારમાં રહેતા સવજીભાઈ જેરામભાઈ નકુમ (ઉ.વ. 60) એ તેમને ના કહેતા ઉશ્કેરાયેલા આરોપી અશોકે ફરિયાદી સવજીભાઈને બીભત્સ ગાળો કાઢી, બેફામ મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી સવજીભાઈ નકુમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
હથિયાર ધારાનો ભંગ કરતા શખ્સ સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા મહાવીરસિંહ માનસંગજી જાડેજા નામના શખ્સે તેમનું પરવાના વાળું હથિયાર સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે જમા ન કરાવતા આ અંગે હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરવા બદલ સલાયા મરીન પોલીસે તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech