સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરમાં ફેલાતું કોરોનાનું સંક્રમણ: ૧૦ કેસ

  • May 27, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં કોરોનેએ ફરીથી માથું ઊંચક્યું છે, અને એક જ પરિવારના ચાર સહિત આજે વધુ  નવા ૭ કેસ નોંધાયા છે. જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના ૪ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષ સહિત ચાર પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. અને ચારેય ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આમ અત્યારે ૧૦ વ્યકિતઓમાં ૭ મહીલા અને ૩ પુરૂષને કોરોનાના કારણે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 


 આ ઉપરાંત પાર્ક કોલોની વિસ્તારમાં એક પુરુષનો પોઝિટિવ કેસ આવ્યો છે. ઘાચીની ખડકી વિસ્તારમાં એક મહિલાનો તેમજ ગરીબ નગર વિસ્તારમાં એક મહિલાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે અને તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શનિ-રવિના બે દિવસો દરમિયાન વધુ બે મહિલાના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતાં અને તેઓને પણ હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.


 જામનગર શહેરમાં સાત મહિલા અને ત્રણ પુરુષ સહિત ૧૦ એક્ટિવ પોઝિટિવ કેસ છે અને તમામ આઈસોલેશનમાં છે, જે તમામના પરિવારના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા દોડધામ કરાઈ રહી છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કામદાર કોલોની એક જ વિસ્તારમાં બહારથી મુસાફરી કરીને આવેલા એક પરીવારના ૪ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે, ત્યારે આ વિસ્તારમાં પણ આજુબાજુના લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે, પટણીવાડમાં ૩૯ વર્ષની મહીલા અને ઘાંચીવાડમાં મહીલાને કોરોના પોઝીટીવ થયો છે. 
​​​​​​​

પંચવટી ગૌ શાળા વિસ્તારમાં ચારેક દિવસ પહેલા ૩૭ વર્ષનો યુવાન વિદેશથી આવ્યો હતો અને તેને કોરોના થતાં તેને હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે, કોર્પોરેશનના ડો.પલક ગણાત્રાના જણાવ્યા મુજબ હાલ ૧૦ વ્યકિત કોરોના પોઝીટીવ થયા હોવાથી ૭ પુ‚ષ અને ૩ મહીલાને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જયાં તમામની તબીયત સારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application