સલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ​​​​​​​

  • June 09, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીફ ઑફિસર દ્વારા યોગ્ય પગલા લેવાય એવી લોકોની માંગ

ખંભાળિયા તાલુકામાં સલાયા ગામે બે દિવસ અગાઉ બે વ્યક્તિઓ જેમાં એક સ્ત્રી તેમજ એક પુરુષને સામાન્ય કોરોના જેવા લક્ષણો દેખાતા એમના સેમ્પલ લેવાયા હતા. જે પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર અને લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જે બાદ આ બંનેની સ્થિતિ સારી હતી અને ઓક્સિજન લેવલ પણ વ્યવસ્થિત હોય એમને યોગ્ય દવાઓ સાથે હોમ આઇસોલેટ કરાયા હતા. 

જ્યાં દિવસમાં બે વાર હેલ્થ વિભાગ એમનું ચેકઅપ કરી અને સૂચનાઓ આપી રહી છે. હાલ બંનેની સ્થિતિ નોર્મલ છે તેમજ કોઈ ગભરાટનું કારણ નથી. છતાં પણ હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય પગલા ભરાઈ રહ્યા છે. પરંતુ સલાયામાં હાલ મોટી સમસ્યા સફાઈની છે જ્યાં જોવા જાવ ત્યાં કચરાના ઢગલા અને ગટરો ઉભરાતી જોવા મળે છે. 

હાલ બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ લોકોમાં પણ થોડો ભયનો માહોલ છે. અને જો નગરપાલિકા વ્યવસ્થિત સફાઇમાં ધ્યાન નહીં આપે તો હજુ રોગચાળો વધી શકે છે. માટે નગર પાલિકા ચીફ ઑફિસર યોગ્ય પગલા ભરી અને સફાઈ ઝુંબેશ તેજ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.આમ દ્વારકા જિલ્લામાં પ્રથમ કોરોનાની એન્ટ્રી સલાયાથી થતા લોકો પણ થોડા ગભરાટમાં છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application