રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરો સુધરવાનું નામ લેતા નથી, પોપટપરાના નાલા પાસે વધુ એક સિટી બસના ચાલકે મહિલાને ઠોકર મારી

  • April 19, 2025 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગત બુધવારે સિટી બસે 7 જેટલા વાહનોને અડફેટે લેતા ચાર લોકોના મોત થયા હતા અને ચાર જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં આજે ફરી સિટી બસના ચાલકે પોપટપરાના નાલા પાસે ટુ-વ્હીલર ચાલક મહિલાને ઠોકર મારી હતી.  જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.


સિટી બસ રૂટ નં. 37ના ચાલકે ટુ-વ્હીલર સવાર મહિલાને ઠોકરે ચડાવી હતી

મળતી માહિતી પ્રમાણે પોપટપરાના નાલા પાસે સિટી બસ રૂટ નં. 37ના ચાલકે ટુ-વ્હીલર સવાર મહિલાને ઠોકરે ચડાવી હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ સિટી બસના ચાલકો હજુ અમે નહીં સુધરીએ તેમ માનીને બેફામ ડ્રાઈવિંગ કરતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application