ભાગવત કથા માનવ માત્રની વ્યથા દુર કરે છે, કલયુગમાં સાક્ષાત ભગવાને ઋષિઓને ભાગવતનો ઉપદેશ આપ્યો હતો: ભાગવત કથાના શ્રોતા પણ ભગવાન છે
કલયુગમાં પરમાત્માની પ્રાપ્તિનો એક જ ઉપાય ભાગવત શાસ્ત્ર છે, સૌથી શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત કહી શકાય, જુના જમાનામાં સાક્ષાત ભગવાને પણ ઋષિઓને ભાગવતનો સંદેશ આપ્યો હતો, મનુષ્ય માટે પાર થવા શું ઉપાય છે તેવો પ્રશ્ર્ન થાય છે ત્યારે શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ સાધન કહી શકાય તેમ દ્વારકાપીઠના શંકરાચાર્યજી પૂ.સદાનંદ સરસ્વતીજી મહારાજે એક સંદેશ આપતા જણાવ્યું હતું.
શહેરમાં સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મીત્ર મંડળ દ્વારા ચાલી રહેલી ભાગવત સપ્તાહ અંગે બોલતા પૂ.શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, ભાગવત બધામાં શ્રેષ્ઠ છે, એ જ ઉપદેશ રાજા પરીક્ષીતને પણ આપવામાં આવ્યો હતો, સુધજા મહારાજે ભાગવત અંગેનો ઉપયોગ આપ્યો હતો, ભાગવત કથાના શ્રોતા પણ ભગવાન છે, એ ભકતોના કલ્યાણનું પુરાણ છે, જેમાં પ્રાણી માત્રના કલ્યાણનો પણ ઉલ્લેખ કરાયો છે, આ ભાગવત સપ્તાહના યજમાન પરીવાર સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મીત્ર મંડળ તેમજ જલસા ગ્રુપ આ બધા ભગવાન દ્વારકાધીશના આશિર્વાદને પાત્ર છે, પરમાત્મા આ બધા ઉપર કૃપા કરે તેવી મારી શુભકામના છે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech