બે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર

  • May 15, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વાહન અકસ્માતમાં મૃત્યુના વીમા વળતરના પૈસાની ભાગબટાઇમાં રૈયાધાર વિસ્તારમાં બે પત્નીના સંતાનો વચ્ચે વાંધો પડતા થયેલી હત્યાના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓમાં બે મહિલા આરોપીની જામીન અરજી સેશન્સ અદાલત દ્વારા રદ કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતા જેરામભાઇ વાઘેલાના બીજા પત્ની લીલાબેન જેરામભાઈ વાઘેલા વાહન અકસ્માતમાં મૃત્યુ થયા અંગે તેના વીમા ક્લેઇમના નાણા બાબતે ચાલતા ડખામાં બીજા પત્નીના પુત્ર લાખાભાઈ જેરામભાઈ વાઘેલા ઉપર અન્ય સાથે લગ્ન કરનાર જેરામભાઈના પ્રથમ પત્ની બેબીબેન અમરશી ચારોલા, પુત્ર વિજયભાઈ અમરશીભાઈ ચારોલા, સંજનાબેન વિજયભાઈ ચારોલા, શાયર ઉર્ફે સાહિલ અને નીર ઉર્ફે નીલ વગેરે હુમલો કરી લાખાભાઈ જેરામભાઈ વાઘેલાની હત્યા કર્યા બાબતે ગુનો નોંધી ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. જેમાં જેલ હવાલે રહેલા મહિલા આરોપીઓ બેબીબેન તથા સંજનાબેને કોર્ટમાં જામીન પર છૂટવા માટે જામીન અરજી કરી હતી, તેમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ બીનલબેન અશોકકુમાર રવેશીયા હાજર થઈ કોર્ટમાં જણાવેલ કે અરજદાર આરોપીઓએ આ ગુનાના અન્ય આરોપીઓને પોતાના ઘરે બોલાવીને મરનારને મારવા માટે ગુનાહિત કાવતરું કરી અન્ય આરોપીઓ સાથે ગેરકાયદેસર મંડળી રચી હત્યાના કૃત્યનો પ્રથમ દર્શનીય જ આક્ષેપ છે અને સમાજ વિરોધી ગંભીર ગુનો છે, જેથી બંને આરોપીઓની જામીન અરજીઓ રદ કરવી જોઈએ, જે રજૂઆતો દલીલો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે બંને મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application