દ્વારકા દર્શનાર્થે જતા પ્રવાસીઓનો સર્જાયો અકસ્માત
યાત્રાધામ દ્વારકા નજીક પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર જુની ધ્રેવાડ પાસે કાર-રીક્ષા વચ્ચે ધડાકાભેર ટકકર સર્જાઇ હતી જેમાં આઠ મુસાફરને ઇજા પહોચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દ્વારકાની હોસ્પીટલમાં લઇ જવાયા હતા. અકસ્માતના પગલે સ્થળ પર આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા.
જાણવા મળતી વિગત અનુસાર પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવે પર જૂની ધ્રેવાડ પાસે શુક્રવારે સાંજે સવા ચાર વાગ્યાના સુમારે એક કારે રીક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.બીજી બાજુ આ અકસ્માતના બનાવની જાણ થતા જ તાત્કાલિક 108 એમ્બયુલન્સ સેવાની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.આ ટુકડીએ તમામ નાના મોટા ઇજા પામેલા પ્રવાસીઓને સારવાર અર્થે દ્વારકાની હોસ્પીટલમાં ખસેડયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech