શહેરના જંક્શન પ્લોટ નજીક આવેલો ઝુલેલાલનગરમાં મોડીરાત્રિના આઠ શખસોના ટોળાએ આતંક મચાવ્યો હતો. ધોકા-પાઈપ સહિતના હથિયાર સાથે ધસી આવેલા આ શખસોએ સિંધી વેપારીના મકાન, વાહનોમાં સોડા બોટલ ઘા કરી તોડફોડ કરી હતી. વાહન ચલાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ધમાલ મચાવી હતી. જે અંગે વેપારીની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સિંધી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
બનાવ અંગે ઝૂલેલાલનગર શેરી નંબર-5માં રહેતા સિંધી વેપારી આશિષભાઇ ચેતનભાઈ નેભાણી(ઉ.વ ૩૪) એ પ્ર. નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફૈઝલ ઉર્ફે કાલી, રહીમ ભાણું, ઈરફાન રહીમ ભાણું, અબ્દુલ દાઉદ લંજા, હસન અને ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
કેમ મારી માથે તારૂ એકટીવા નાખે છે
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઝૂલેલાલ મંદિર સામે ગુરૂનાનક ડ્રીકીંગ વોટર નામનો મીનરલ વોટરનો પ્લાન્ટ ધરાવે છે. ગઇ તા. ૦૯/૦૬/૨૦૨૫ ના રોજ વેપારી સાંજના પોણા આઠ વાગ્યે એકટીવા લઇને સાંઢીયા પુલ પાસે ફ્રૂટની લારી છે ત્યા જવા માટે નીકળેલ હતા. ઘરથી ૨૦૦ મીટર જેટલું ચાલતા સામેથી ફૈજલ ઉર્ફે કાલી તેનુ એકસેસ લઇને આવતો હતો. વેપારી વાહન સાઈડમાં ચલાવતા હોવા છતાં ફૈઝલ તેમની નજીક આવી કેમ મારી માથે તારૂ એકટીવા નાખે છે કહી ગાળો આપવા લાગ્યો હતો અને એક્ટીવાની ચાવી કાઢી લીધી હતી. બાદમાં તને અહીં જ છરીના ઘોદા ઝીંકી મારી નાખીશ, તારે જે કરવું હોય તે કરી લેજે તેમ ધમકી આપેલ હતી.
ઘરમેળે સમાધાનની વાત ચાલતી
દરમિયાન વેપારીના ભાઈ વિજય આવી જતા બંને જણા વિજયભાઇના વાહનમાં કારખાને જતા રહ્યા હતા.બાદમાં ઘરમેળે સમાધાનની વાત ચાલતી હોય ફરિયાદ કરેલ ન હતી.
દીકરાની તબિયત સારી ન હોય તેના ઘરે ગયા હતાં
ત્યારબાદ સમાધાન કરવા માટે તા. ૧૦/૦૨/૨૦૨૫ ના રોજ સવારના અગિયાર વાગ્યે અમારા કારખાને આવવાની વાત થઇ હતી. પણ આખા દિવસ દરમિયાન સમાધાન માટે કોઈ આવ્યું ન હતું. રાત્રીના બે વાગ્યાના વખતે વેપારી કાકાના દિકરા કમલેશભાઈના દીકરાની તબિયત સારી ન હોય તેના ઘરે ગયા હતાં. ત્યા વેપારીના ભાઇ વિજયભાઇ અને કમલેશભાઇએ તેમને કહ્યું હતું કે, હમણા અબ્દુલ દાઉદભાઈ લંજા સાથે ફોનમાં વાત થયેલ અને વેપારીએ તેને સમાધાન માટે કેમ ન આવ્યા તેમ પુછતા અબ્દુલ બોલાચાલી કરવા લાગ્યો હતો. રાત્રીના સાડા ત્રણ વાગ્યે કમલેશભાઇના ઘરે ડેલીમા કોઇએ ઘા કરેલ હોય તેવો અવાજ આવ્યો હતો.
શખ્સોના હાથમાં પાઇપ-ધોકા
જેથી બધા ઉપરના રૂમમા હતા ત્યારે સોડા બોટલના ઘા આવતા વેપારીના ભાઈ વિજયભાઇ, કમલેશભાઈનો દીકરો નાર્વીન જે બાલકનીમાં ઉભેલ હતો તેને લેવા જતા એક સોડા બોટલ વિજયને છાતીમા વાગી ગયેલ હતી. બાદમાં વેપારીએ બારીમાંથી બહાર જોતા ફૈઝલ, ઈરફાન, અબ્દુલ, હસન તથા બીજા ચાર અજાણ્યા શખ્સો ચાર મોટરસાયકલ લઈને ધસી આવ્યાનું દેખાયું હતું. જે શખ્સોના હાથમાં પાઇપ-ધોકા હતા.
અમુક શખસો સોડા બોટલના ઘા કરતા
તમામ શખ્સો ધોકા-પાઇપ વડે અમે શેરીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા. જે પૈકી અમુક શખસો સોડા બોટલના ઘા કરતા હતા જેથી કમલેશભાઈના ઘરના રેલીંગના કાચ તુટી ગયેલ હતા. દરવાજામા પણ ધોકા-પાઈપ મારી નુકશાન કર્યું હતુ જયારે અમારા વાહનમાં પણ તોડફોડ કરી હતી. વેપારીના ઘર નજીક આવેલ બહેનના ઘર પાસે પાર્ક કરેલ સ્વીફટ કારમાં પણ તોડફોડ થયાંની જાણ થઇ હતી. આમ કુલ રૂ.4 લાખની નુકસાની કરી હતી.જે અંગે ફૈઝલ, ઈરફાન, અબ્દુલ અને હસન ઉપરાંત ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ વેપારીની ફરિયાદ પરથી રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પ્ર.નગર પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech