પોરબંદરના વૃધ્ધને તેના ઘરના દરવાજે નંદીએ ફૂટબોલની માફક ઉછાળ્યા!

  • June 04, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેરમાં રખડતા ભટકતા નંદીઓનો ત્રાસ ખૂબજ વધ્યો છે ત્યારે પોલિટેકનીક કોલેજ નજીક વૃજભુવન સોસાયટીમાં રહેતા વૃધ્ધને તેમના ઘરના દરવાજે જ નંદીએ ફૂટબોલની માફક ઉછાળીને ફંગોળી દીધા હતા તેમાં તેમને ઇજાઓ થઇ હતી. બાર વર્ષ પહેલા પણ તેમના ઉપર નંદીએ હુમલો કર્યાનું જણાવ્યુ હતુ.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના પોલિટેકનીક કોલેજ નજીક વૃજભુવન સોસાયટી શેરી નં. ૨માં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા કાનજીભાઇ ભીમજીભાઇ પંડિત નામના ૮૧ વર્ષના વૃધ્ધ દેવદર્શન કરીને પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો ગેટ ખોલતા હતા એ સમયે અચાનક જ પાછળથી એક નંદીએ ત્યાં આવીને કાનજીભાઇ પંડિતને પોતાના માથા ઉપર ઉપાડીને ઉંચે ઉછાળીને ફંગોળી દીધા હતા. ઘરના દરવાજે બનેલા આ બનાવના દ્રશ્યો તેમના જ ઘરના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા હતા. આ બનાવમાં તેમને ખાસ કોઇ વધુ ગંભીર ઇજા થઇ નથી પરંતુ તેમણે જણાવ્યુ હતુ કે અગાઉ તેઓ પરિશ્રમ સોસાયટી વિસ્તારમાં રહેતા હતા ત્યારે બાર વર્ષ પહેલા પણ તેમને એક નંદીએ ઇજા પહોંચાડી હતી અને હવે ફરીને વધુ એક વખત હુમલો થયો છે. સદનસીબે ઇશ્ર્વરની કૃપાથી તેમને કોઇ વધુ ઇજા થઇ નથી તેથી પરિવારજનોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application