બોલિવૂડ વર્તુળોમાં એક પ્રશ્ન ગુંજતો રહે છે: શું સંગીત નિર્દેશક પ્રીતમ, અરિજિત સિંહના પગલે ચાલીને, ફિલ્મોથી દૂર થઈ ગયા છે? તેમના જન્મદિવસ પર, પ્રીતમએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ શેર કરી, જેનાથી તેમના ચાહકો સ્તબ્ધ થઈ ગયા. આ પોસ્ટ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ, તેમની નિવૃત્તિ અંગેની અટકળો તેજ થઈ ગઈ, અને ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કયુ કે તેઓ સંગીત ઉધોગ છોડી રહ્યા છે. જોકે, હવે વાસ્તવિક અને દિલાસો આપનાં સત્ય સામે આવ્યું છે. પ્રખ્યાત ગાયક અરિજિત સિંહે તાજેતરમાં જ તેમની નિવૃત્તિની જાહેરાત કરી. હવે, લોકો અનુમાન લગાવી રહ્યા છે કે પ્રખયાત સંગીતકાર પ્રીતમ પણ સંગીતમાંથી નિવૃત્તિ લેશે. હકીકતમાં, પ્રીતમની એક પોસ્ટે ચાહકોને આઘાત આપ્યો, જેનાથી બધા તેમના નિર્ણય વિશે મૂંઝવણમાં મુકાયા. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ કારણ કે અરિજિત સિંહે અગાઉ નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ પ્રીતમના ચાહકો માટે થોડી રાહત અને સારા સમાચાર છે: તે ટૂંક સમયમાં કયાંય જવાનો નથી, કે તેનો નિવૃત્તિ લેવાનો કોઈ ઇરાદો નથી.
પ્રીતમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ચાહકોને ચિંતામાં મૂકી દીધા, અને બધાએ અનુમાન લગાવવાનું શરૂ કયુ કે શું તે ખરેખર બોલિવૂડ છોડી રહ્યો છે. જો કે,સૂત્રએ જણાવ્યું હતું કે, ''પ્રીતમ સંગીત ઉધોગને અલવિદા કહી રહ્યો નથી. તે પોતાનું કામ ચાલુ રાખશે.'' પોતાની પોસ્ટ દ્રારા, તેણે ફકત એ દર્શાવવાનો પ્રયાસ કર્યેા કે બીજી પણ કેટલીક બાબતો છે જેને તે પોતાની ટુ–ડુ લિસ્ટમાં રાખવા માંગે છે અને તેના માટે સમય કાઢવા માંગે છે. આનો અર્થ એ નથી કે તે સંગીતની દુનિયાથી કાયમ માટે દૂર થઈ રહ્યો છે. તાજેતરમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યા પછી, પ્રીતમ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચાહકો માટે એક હૃદયસ્પર્શી નોંધ શેર કરી. તેમણે લખ્યું, ''તમારી બધી શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર. દરેકને વ્યકિતગત રીતે જવાબ આપવો અશકય છે,
પરંતુ કૃપા કરીને મારા હૃદયપૂર્વકના સ્નેહ અને કૃતજ્ઞતાનો સ્વીકાર કરો. આજે, મેં મારી જાતને એક અનોખી ભેટ આપવાનું નક્કી કયુ છે – જીવનને અલગ રીતે જીવવા માટે થોડા વર્ષેા સમર્પિત કરવા. મેં પાછળ છોડી દીધેલી બધી વસ્તુઓને ફરીથી જીવવા માટે. તેમણે આગળ લખ્યું, ''હવે સમય આવી ગયો છે કે હત્પં એક નવી સફર શરૂ કં જે મેં આટલા લાંબા સમયથી બાજુ પર રાખી હતી. મુખ્ય પ્રવાહમાં આ સફર ખરેખર અદભૂત રહી છે, પરંતુ મારું હૃદય હંમેશા એવા અજાણ્યા રસ્તાઓ શોધવા માટે ઝંખતું રહ્યું છે જે હત્પં કયારેય ચાલી શકયો નથી. તમારા બધા તરફથી મળેલા અપાર પ્રેમ અને સમર્થન માટે હત્પં હંમેશા આભારી છું.આ વર્ષની શરૂઆતમાં, ગાયક અરિજિત સિંહે ઇન્સ્ટાગ્રામ પર આવી જ પોસ્ટ શેર કરીને હલચલ મચાવી હતી