ખોજાનાકા પાસે બાતમીના આધારે એસઓજીની ટીમ પ્રગટી
જામનગરમાં નેગોશીએબલના ગુનામાં સજા થયેલ અને નાસતા ફરતા આરોપીને જામનગર એસઓજીની ટુકડીએ પકડીને પોલીસ સ્ટેશનમાં સોપી આપ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમાર, આર.એચ.બારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસઓજી સ્ટાફના હેડ કોન્સ. હર્ષદકુમાર ડોરીયા, રમેશભાઇ ચાવડા, તોસિફભાઇ તાયાણી તથા અનિરુઘ્ધસિંહ ઝાલાને હકીકત મળેલ કે, ૧૦માં એડીશનલ ચીફ જયુડી મેજીની કોર્ટના ક્રીમીનલ કેશ તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ના કામે કોર્ટે તકસીરવાર ઠરાવી એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
આરોપી જેન્તી રાણા પરમાર રહે. ખોજાનાકા બહાર દવાખાના પાછળ, જામનગરવાળો હાલ સિઘ્ધાર્થનગર બાવરીવાસ, પાનની કેબીન પાસે ઉભો હોવાની હકીકત મળતા એ જગ્યાએ જતા ઉપરોકત આરોપી જેન્તી મળી આવેલ જે નાસતો ફરતો હોય જેથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech