નાઘેડીના યુવાને શરીરે લોખંડની ૨૫ કિલોની સાંકળ બાંધી હાજીપીરની પદયાત્રા

  • April 14, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક નાધેડીમાં રહેતો યુવાન  પોતાના શરીરે ૨૫ કીલો વજનની સાંકળ બાંધી હાજીપીરની પદયાત્રાએ નીકળ્યો છે. જે ૩૭૫ કી.મી.ની યાત્રા પૂર્ણ કરતાં તેને ૧૪ દિવસનો સમય લાગશે. જામનગરના નાઘેડી ગામે રહેતો ગફાર મામંદભાઈ લંઘા (ઉ.વ.૩૫) કે જે ૨૫ કીલો વજનની લોખંડની સાંકળ શરીરે બાંધી પરિવાર સાથે કચ્છ જીલ્લામાં આવેલી હઝરત હાજીપીરની દરગાહની પગપાળા યાત્રા કરશે.  તેમણે ગત શુક્રવારે રાત્રીના પદયાત્રા જામનગર-રાજકોટ હાઇવે પર આવેલી હઝરત મલંગશાપીરની દરગાહથી શરુ​​​​​​​ કરી છે. જે યુવાન લોખંડની સાંકળ શરીરે બાંધી ૩૭૫ કિલોમીટર પગપાળા પદયાત્રા કરશે. તેમની સાથે તેના બહેન ફાતેમા, બનેવી ઈમરાન, ભાણેજ સોનુ અને સોયબ પગપાળા યાત્રામાં સાથે રહેશે. એક દિવસમાં તે સરેરાશ ૨૫ થી ૩૦ કીમીનું અંતર કાપશે. આથી તેને હાજીપીરની દરગાહ પહોંચતાં ૧૪ દિવસ લાગશે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application