જમ્મુ-કાશ્મીરના કુલગામના ફ્રિસલ, ચિન્નીગામ અને મોદરમ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. મોદરમમાં થયેલા એન્કાઉન્ટરમાં બીજો આતંકી પણ માર્યો ગયો હતો. હજુ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામના ચિન્નીગામ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. અત્યાર સુધીમાં છ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સીઝમાં હજુ પણ એક આતંકી ફસાયેલો હોવાની આશંકા છે. મોદરમમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તે દરમિયાન એક સૈનિકના શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે બંને એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે. એક ચુનંદા પેરા કમાન્ડો સહિત સેનાના બે જવાનોએ આતંકવાદીઓ સામે લડતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
ડીજીપી સ્વૈને આપી માહિતી
ડીજીપી સ્વૈને પુષ્ટિ કરી છે કે જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે છ આતંકવાદીઓ માર્યા ગયા છે. ડીજીપી સ્વૈને જણાવ્યું હતું કે આ કામગીરી વેગ પકડી રહી છે અને સુરક્ષા વાતાવરણને મજબૂત કરવા માટે આવી સફળતાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સ્થાનિક નાગરિકોએ ચિન્નીગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ કરી લીધી છે.
- અવડોરા, કુલગામના તૌહીદ અહમદ રાથર
- દસંદ, કુલગામના જાહિદ અહમદ ડાર
- રેડવાની, કુલગામના યાવર બશીર ડાર
- ખુરી બટપોરા, કુલગામના શકીલ અહમદ વાની
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech