પોરબંદરના આંગણે નવરંગ સંસ્થા દ્વારા પ્રથમ વખત ભવ્ય આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપરાંત ૧૦,૦૦૦ થી વધુ પોરબંદરવાસીઓએ પણ ત્રણ દિવસના આયોજનને નિહાળીને કલાકારોની કલાને બિરદાવી હતી.
નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, શિલ્પકલા પ્રદર્શન પ્રતિબિંબ કલાપર્વ-૨૦૨૫ નું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના ખીજડીપ્લોટ ગાર્ડન ખાતે યોજાયેલા મેગા આર્ટ શોમાં પોરબંદરના સિનિયર ચિત્રકારો, ફોટોગ્રાફરો, શિલ્પકારોએ પોતાની કલાકૃતિઓ લોકો સમક્ષ રજુ કરી હતી.પ્રદર્શન દરમિયાન બાળ ચિત્રકારોના પેઇન્ટિંગ પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.
આ પ્રદર્શનમાં કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા,પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, નાયબ કલેકટર સંદીપ જાદવ, ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, સિનિયર આર્ટિસ્ટ નથુભાઈ ગરચર અને જુદી-જુદી સંસ્થાઓના હોદેદારો તથા પોરબંદરની કલાપ્રેમી જનતાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને નવરંગની કામગીરીને બિરદાવી આર્ટિસ્ટોના ચિત્રોનું હોંશભેર ખરીદ કરીને કળાની કદર કરી હતી.આ પ્રદર્શનમાં લગભગ ૬૦% જેટલી કલાકૃતિઓ તો સ્થળ પર જ વેચાણ થયું હતુ તે આ પ્રદર્શનની ભવ્ય સફળતા દર્શાવે છે.
કળાઓ માનવીય લાગણીઓને વ્યક્ત કરવા અને સમજવા માટેનું શક્તિશાળી માધ્યમ છે.આનંદ, દુ:ખ, પ્રેમ આ બધી લાગણીઓ કળા દ્વારા વ્યક્ત કરી શકાય છે.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં લલિત કળાઓમાં મુખ્યત્વે ગાયન,વાદન, નૃત્ય, ચિત્રકળા અને સ્થાપત્યકળાનો સમાવેશ થાય છે. જોકે, આધુનિક સંદર્ભમાં, "નવ કળાઓ" તરીકે જેનો ઉલ્લેખ થાય છે, કળાઓની વ્યાપક શ્રેણીને નવરંગ સંસ્થાએ આવરી લીધી છે.
કાવ્ય/સાહિત્ય,સંગીત, નૃત્ય, ચિત્રકળા,નાટ્યકળા, શિલ્પકલા, ચલચિત્રકળા, સ્થાપત્ય અને કોમિક્સ/ગ્રાફિક આર્ટ આ વિવિધ કલાઓના કલાકારોમાં રહેલી સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને ઉત્તેજન આપવા માટે તેમને પ્રોત્સાહિત કરવા અને તે બધી લલિત કલાઓ માટે એક કોમન પ્લેટફોર્મ પૂરું પાડવા શહેરના કલાપ્રેમી વ્યક્તિઓના સહકારથી લાખણશીભાઈ ગોરાણીયાના નેતૃત્વમાં ત્રણ વર્ષ પહેલા એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને નવ લલિતકલાઓ પી જીવનના રંગો પરથી નામ રાખવામાં આવ્યું નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન ત્યારથી શરૂ કરીને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની ટીમ સમગ્ર ટીમ દ્વારા ઉત્સાહથી એક પછી એક લગભગ વર્ષના બાર જેટલા વિવિધ લલિત કલાઓના કાર્યક્રમો જેમાં કવિ સંમેલન, મુશાયરા, સંગીત સંધ્યા, શાસ્ત્રીય નૃત્ય, ચિત્ર, ફોટોગ્રાફી, શિલ્પકલા વગેરેનું સુઆયોજન કરીને પોરબંદરમાં કલાનું વાતાવરણ ઉભું કરવાની સતત કોશિશ કરવામાં આવી છે. મુળભુત રીતે, કળાઓ માનવ આત્માને સૌંદર્યલક્ષી આનંદ અને સંતોષ પુરો પાડે છે. સુંદર ચિત્ર જોવું, મધુર સંગીત સાંભળવું કે મનમોહક નૃત્ય જોવું એ એક અનોખો અનુભવ છે.
આમ, આ નવ લલિત કળાઓ માત્ર મનોરંજનના સાધનો નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિના વિકાસ, સામાજિક પ્રગતિ અને વ્યક્તિગત સંતુલન માટે અનિવાર્ય છે.તેઓ આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે અને આપણને એકબીજા સાથે અને આપણી આસપાસના વિશ્વ સાથે જોડે છે.
નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાએ કલાકારોને પોતાની કલા પ્રદર્શન કરવાનું એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ આપીને પ્રોત્સાહિત કર્યા છે અને સાથે શહેરના કલારસિકોને વૈવિધ્યસભર કાર્યક્રમો દ્વારા સમૃદ્ધ કર્યા છે.
આ મેગા આર્ટ-શોને સફળ બનાવવા પ્રમુખ લાખણશી ગોરાણીયા, મંત્રી ડો. સ્નેહલ જોશી, સંયોજક ટીમ ડો. સિદ્ધાર્થ ગોકાણી, પરિમલ મકવાણા, મિલન પાણખાણીયા, પરેશ પુરૂષવાણી, ડો. યેશા શાહ, પુજા રાજા અને નવરંગની કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી.આ પ્રોજેકટમાં હરિશભાઈ લાખાણી, જિજ્ઞાબેન કિશોર, કૈલાશ કોરીયા, હિતેશ મકવાણા,શ્વેતા લોઢારી અને પ્રતિકા મોતીવરસ વગેરેનો સહકાર પ્રાપ્ત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવૈશ્વિક અર્થતંત્ર પર મંદીનું તોળાતું સંકટ, ભારતની સ્થિતિ સાનુકુળ
June 11, 2025 10:26 AMચૂંટણી સંદર્ભે હથિયાર પોલીસમાં જમા ન કરાવતા બારા ગામના શખ્સ સામે કાર્યવાહી
June 11, 2025 10:26 AMઓખામંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહી
June 11, 2025 10:24 AMયુવા પેઢી હવે અભ્યાસક્રમમાં ટોક્સિક રિલેશનથી બચવાના રસ્તાઓ શીખશે
June 11, 2025 10:22 AMખંભાળિયામાં જાયન્ટ્સ ગ્રુપની મુલાકાતે વેલફેર ફાઉન્ડેશનની ટીમ
June 11, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech