અકળ કારણોસર સલાયાની યુવતીએ આપઘાત કર્યો

  • January 20, 2025 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સમીરાબેન અકબરભાઈ સુંભણીયા નામની યુવતીએ શનિવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા અકબરભાઈ મામદભાઈ સુંભણીયાએ સલાયા મરીન પોલીસને કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

કલ્યાણપુરમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવાનનો આપઘાત

કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application