અતિ વ્યસ્ત અને ધમધમાટ રહિત સિહોર-રાજકોટ રોડ પર મોતનો ખાડો

  • May 20, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરના-રાજકોટ ભાવનગર હાઈ-વે પર રેસ્ટ હાઉસ નજીક છેલ્લા એક માસથી પાણીની લાઈન રીપેર કર્યા બાદ ખાડો પૂરવાનો તંત્ર ભૂલી ગયુ હોય તેવું લાગે છે મોટા ખોદેલ ખાડાને લઈને અહીંથી પસાર થતાં રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડે છે. અહીં આસપાસમાં રહેણાકી વિસ્તારો આવેલા છે તો બીજી તરફ કોલેજ જવા માટેનો પણ આ માર્ગ હોય તો પગપાળા જતા હતા વિધાર્થીઓને પણ અડચણ પડી રહી છે આ ખોદેલા ખાડાને લઈને રસ્તો સાંકડો થઈ ગયો છે. જેના કારણે અકસ્માત્મક થવાની સંભાવના છે.
અહીં ત્રણ રસ્તાઓ પણ મળતા હોય જેથી ખાડાને લઈને ટ્રાફિક પણ થઈ જતું હોય છે અહીં રેસ્ટ હાઉસ નજીક હોવા છતાં કોઈ અધિકારી પદાધિકારી કે નેતાઓને આવડો મોટો ખાડો દેખાતો નથી લોકોમાં પ્રશ્નો ઉદ્ભવે છે કે કોઈ રાહદારીનો ભોગ લેશે પછી જ ખાડો પૂરાશે કે શું આ ખાડાને પુરવા માટે લોકોની ત્વરિત માંગ છે સિહોર તંત્ર દ્વારા આ મોતના ખાડાને વહેલામાં વહેલી તકેદ પૂરી થઈ લોકોને રાહત થાય તેવી કામગીરી કરી આપવા માંગ ઉઠી છે કોઈ વાહનચાલક ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ? નપા હજુ સુધરતી નથી, આ ખોદેલી જગ્યાની આસપાસ યોગ્ય બેરીકેડ મૂકવા અને તેને કોર્ડન કરવી જરૂરી, રાત્રીના સમયે અકસ્માતની પુરી સંભાવનાઓ, રેસ્ટ હાઉસ નજીક જ મહિનાથી ખાડો ખોદી મૂકી રખાયો છે - કોઈ ઘટના બને તેની રાહ જોઈ બેઠું છે તંત્ર.? અધિકારીઓ, નેતાઓ પદાધિકારીઓ અહીંથી પસાર થતી વેળાએ આ આવડો મોટો ખાડો દેખાતો નહિ હોય.?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News