ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત અને ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે, જેણે આરોગ્ય તંત્રની ચિંતામાં વધુ વધારો કર્યો છે. આ સાથે જ, રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 1227 પર પહોંચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ 1204 દર્દીઓ OPD બેઝ સારવાર હેઠળ છે, જ્યારે 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આજે 105 લોકો કોરોનામુક્ત થઈને ડિસ્ચાર્જ થયા છે.
રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને કોવિડ-19 ના નિયમોનું સખતપણે પાલન કરવા, જેમાં માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને ભીડવાળી જગ્યાઓ ટાળવી જેવી બાબતોનો સમાવેશ થાય છે, તે માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે. હોસ્પિટલોને પણ વધતા દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા જાળવવા અને સજ્જ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગૌરક્ષક ગભરુ ભરવાડની જમીન વિવાદ મામલે કલેક્ટરને રજૂઆત
June 12, 2025 12:28 PMદ્વારકાના ધીણકી ગામમાં દેશી દારુની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
June 12, 2025 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech