માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત

  • March 28, 2024 10:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માફિયા ડોન મુખ્તાર અંસારીના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો.


બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની ગુરૂવારે તબિયત ફરી એકવાર બગડી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્તાર અંસારીને ગુરુવારે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા.


મળતી માહિતી માફિયા ડોન મુખ્તાર અંસારીના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે જેલમાં ત્રણ ડોક્ટરોની પેનલ સતત મુખ્તાર અંસારીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી, પરંતુ મુખ્તારની તબિયતમાં સુધારો થઈ રહ્યો ન હતો. હાર્ટ એટેક આવ્યા બાદ તબીબોએ તેને ઉતાવળમાં ફરીથી મેડિકલ કોલેજમાં ખસેડવાનું યોગ્ય માન્યું હતું. જે બાદ તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application