નગરનાં લોહાણા સમાજનું વિસ્તૃતિકરણ થશે

  • April 19, 2024 11:27 AM 

સમગ્ર સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ દ્વારા આવકાર



જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન દ્વારા અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજનાં ઉતરોતર વિકાસમાં જોડાયેલા છે, શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધે અને વિશિષ્ટ સંગઠનો સમાજની એકતા માટે જોડાવવા તત્પર બન્યા છે


જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજનાં અનેક પરિવારો વસે છે,પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાઈ થઈ રહ્યા છે તેથી બેડી ગામના લોહાણા સમાજે બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા મીટીંગ બોલાવી 13/12/23 નાં રોજ ઠરાવ કરવામાં આવેલ છે.તે ઠરાવ મુજબ બેડી લોહાણા મહાજનનો વહીવટ જામનગર લોહાણા મહાજનને સુપરત કરી સંભાળે તે માટે જામનગરના લોહાણા મહાજનનાં પ્રમુખ તેમજ હોદેદારોને બેડી મુકામે રામ મંદિર લોહાણા મહાજનવાડીમાં રામનવમીના દિવસે આ સુંદર કાર્ય અને નિર્ણયને વધાવવા માટે પધારવા આમંત્રિત કરેલ અને લેખિતમાં વિનતી પત્ર અને ઠરાવ અર્પણ કરેલ.


જેને લોહાણા મહાજનનાં પ્રમુખ જીતુભાઈ લાલ અને સમગ્ર હોદેદારોએ હર્ષેભેર આવકારી સ્વીકારેલ અને નજીકના દિવસોમાં બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા સમાજનાં વડીલોની અને કમિટી સાથે ચચર્િ કરી આ બાબતે આગળ વધી બેડી લોહાણા મહાજનની લાગણીને અને વિનતીને સ્વીકારવામાં આવશે તેમ શ્રી જીતુભાઈ લાલે લાગણી વ્યક્ત કરતાં બેડી લોહાણા મહાજનના આનંદ અને ખુશીને લહેર વ્યાપી ગઈ હતી બાદ જય શ્રી રામ અને જય જલારામનાં જયઘોષ સાથે આવકારેલ. જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદમંત્રી રમેશભાઈ દતાણીની યાદીમાં જણાવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application